- text
મોરબી : મોરબી વિજતંત્ર દ્વારા આગામી તા.23, 24, 25 અને 31 ઓગસ્ટ દરમિયાન મેઇન્ટનન્સ કામગીરીને કારણે ઢુંવા, ભોજપરા, રાતાવીરડા, થાન અને લુણસર – મંડલાસર સબ સ્ટેશનમાં વિજકાપ લાદવામાં આવ્યો છે.
મોરબી ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન દ્વારા આગામી તા. 23ને મંગળવારના રોજ 66 કેવી ઢુંવા સબ સ્ટેશનમાં સવારે 9થી 12 વિજકાપ લાદવામાં આવ્યો છે. એ જ રીતે તા.24ને બુધવારે 66 કેવી ભોજપરા અને રાતાવીરડા સબ સ્ટેશનમાં સવારે 8થી બપોરે 4 વાગ્યા સુધી મરામત કામગીરીને કારણે વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.
- text
જ્યારે તા.25ના રોજ 66 કેવી થાન સબ સ્ટેશનમાથી નીકળતા આંશિક ફીડરમાં સવારે 8થી બપોરે ચાર વાગ્યા દરમિયાન રીપેરીંગ કામને કારણે વીજપુરવઠો બંધ રહેશે. આ ઉપરાંત તા.31 ઓગસ્ટના રોજ 66 કેવી લુણસર અને મંડલાસર સબસ્ટેશન હેઠળ આવતા વિસ્તારોમાં સવારે 8થી બપોરના ચાર વાગ્યા દરમિયાન વીજપુરવઠો બંધ રાખવામાં આવનાર હોવાનું જાહેર કરાયુ છે.
- text