મોંઘવારીનો માર : ખાણી-પીણીના ભાવમાં એક વર્ષમાં થયો આટલો વધારો

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપની લિંક મેળવવા માટે https://wa.me/message/SFYFCTWIGHIOK1 પર ક્લિક કરી મેસેજ સેન્ડ કરો..

મોરબી : એક વર્ષમાં ખાણી-પીણીના ભાવમાં મોટા પાયે વધારો થયો છે. સરકારના પ્રયાસો છતાં ભાવ નિયંત્રણમાં આવતા નથી. મીઠાના ભાવથી લઈને દૂધ, દહીં, છાસ, ઘઉં, ચોખાથી લઈ તમામ ચીજવસ્તુઓના ભાવમાં અસહ્ય વધારો થતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

એક વર્ષ પહેલા ચોખાની કિંમત 34.86 રૂપિયા પ્રતિ કિલો હતી, જે હવે વધીને 37.38 રૂપિયા થઈ છે. ઘઉં 25 રૂપિયાથી વધીને 30.61 રૂપિયા જ્યારે લોટ 29.47 રૂપિયાથી વધીને 35 રૂપિયા પ્રતિ કિલો થયો છે.દાળના ભાવમાં પણ થયો વધારો તુવેરદાળ એક વર્ષ પહેલા 104 રૂપિયા પ્રતિ કિલો હતી જે હવે 108 રૂપિયા પ્રતિ કિલો છે. અડદની દાળ 104 રૂપિયાથી વધીને 107 રૂપિયા પ્રતિ કિલો, મસૂર દાળ 88 રૂપિયાથી વધીને 97 રૂપિયા પ્રતિ કિલો અને દૂધ 48.97 રૂપિયાથી વધીને 52.41 રૂપિયા પ્રતિ લિટર થયું છે.

- text

RBIના અંદાજ મુજબ છૂટક ફુગાવાનો દર હજુ પણ 6 %થી ઉપર રહેશે.ઉપભોક્તા મંત્રાલયે તેલની કિંમતો ઘટાડવા માટે ઘણી વખત ઓઇલ કંપનીઓ અને સંગઠનોને બોલાવ્યા છે. કંપનીઓનું કહેવું છે કે, તેઓ સતત તેલની કિંમતોમાં ઘટાડો કરી રહી છે. પરંતુ હજુ પણ ઓપન માર્કેટમાં તેલના ભાવ 150 રૂપિયા પ્રતિ લિટરની ઉપર છે.લોટ, મેદા અને સોજીની નિકાસ માટે ગુણવત્તા પ્રમાણપત્ર જરૂરી, 13 મેના રોજ ઘઉંની નિકાસ પર પ્રતિબંધ બાદ લોટની નિકાસ વધીકેન્દ્ર સરકારે હવે ઘઉંના લોટ, મેદા અને સોજીની નિકાસ પર ગુણવત્તા પ્રમાણપત્રને મંજૂરી આપવી જરૂરી બનાવી દીધી છે.

સરકારે 13 મેના રોજ ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લાદવામાં આવ્યા પછી, લોટ, મેદા અને સોજીની નિકાસ અચાનક વધી ગઈ હતી.સ્થાનિક માર્કેટમાં લોટની ઉપલબ્ધતા પર અસર થવાની આશંકા હતી. જેના કારણે કિંમતોમાં પણ વધારો થઈ શકે છે. આને દૂર કરવા માટે, 12 જુલાઈએ, ડાયરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડ (DGFT) એ પણ લોટ, મેંદા અને સોજીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે જો કે સરકારના પગલાં છતાં ખાદ્યતેલ અને અન્ય જીવન જરૂરી ચીજોના ભાવમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી.

- text