લીલાપર શાળાના બાળકોને આઝાદી લડત વિશેની માહિતી અપાઈ

- text


મોરબી : આજરોજ લીલાપર પ્રાથમિક શાળામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત વિદ્યાર્થીઓને આઝાદીની લડત વિશેની માહિતી આપવામાં આવી હતી.

કાર્યક્રમમાં સૌ પ્રથમ સૈનિક બનેલા વિદ્યાર્થીઓ દ્વારા ભારતમાતાની આરતી ઉતારવામાં આવી હતી ત્યારબાદ વિદ્યાર્થીઓએ સ્વાતંત્ર્ય સેનાનીઓના વેશભૂષા સાથે અભિનય રજૂ કર્યા હતા. જેમાં વિવિધ સ્વાતંત્ર્ય સેનાનીઓના વેશ ધારણ કરી તેના વિશે વક્તવ્ય અને નારાઓ રજૂ કર્યા હતા. આ તકે શાળાના સમગ્ર સ્ટાફ દ્વારા કાર્યક્રમનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યુ હતું.

- text

- text