સમસ્ત બ્રહ્મ સમાજ-મોરબી દ્વારા સપ્ટેમ્બર માસમાં સરસ્વતી સન્માન સમારોહ યોજાશે

- text


31 ઓગસ્ટ સુધી પરિણામ જમા કરાવી શકાશે

મોરબી : સમસ્ત બ્રહ્મ સમાજ-મોરબી દ્વારા આગામી સપ્ટેમ્બરમાં સરસ્વતી સન્માન સમારોહ યોજાશે. આ સન્માન સમારોહ મોરબી શહેરમાં રહેતા વિદ્યાર્થીઓ માટે જ છે. સન્માન સમારોહ માટે પરિણામ જમા કરાવવાની અંતિમ તારીખ 31 ઓગસ્ટ છે. કાર્યક્રમ અંદાજિત સપ્ટેમ્બર માસના બીજા પખવાડિયામાં યોજાશે તેમ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ કિશોરભાઈ શુક્લ મહામંત્રી કેયુરભાઈ પંડ્યા તેમજ અમુલભાઈ જોશીની યાદીમાં જણાવાયું છે.

આ સન્માન સમારોહમાં ધોરણ 6 થી 12 તેમજ ઉચ્ચ અભ્યાસ માટે એક થી ત્રણ ક્રમાંકથી સન્માનિત કરવામાં આવશે. બિનશૈક્ષણિક ક્ષેત્રોમાં મેળવેલ ઉપલબ્ધી માટે પણ સન્માનિત કરવામાં આવશે. કે.જી થી ધો.5 સુધી પરિણામ જમા કરાવનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તેમજ પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે. અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ બંનેમાં અલગ-અલગ ઇનામ આપવામાં આવશે.

વધુ વિગત માટે સચિનભાઈ (સંયોજક) 97274 64164,
અમૂલભાઈ (મહામંત્રી) 92271 00011,
કેયુરભાઈ (મહામંત્રી) 94294 84440 તથા
કિશોરભાઈ (પ્રમુખ) 98257 41868 નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- text

પરિણામ સાર્થક વિદ્યામંદિર મોરબી-2, ભારતી વિદ્યાલય મોરબી-2, પી જી પટેલ કોલેજ સનાળા રોડ, ઓરીએન્ટલ ક્લાસીસ મોરબી-2, લાભ એસોસીએટ રવાપર રોડ, નીલકંઠ વિદ્યાલય રવાપર રોડ, જડેશ્વર પ્રિન્ટિંગ મોરબી-2, ન્યુ ઓમ શાંતિ શાળા સનાળા રોડ, નવનિર્માણ ક્લાસીસ જુના મહાજન ચોક, નાલંદા વિદ્યાલય વીરપર રોડ, ડોક્ટર લહેરુ સાહેબનું દવાખાનુ સનાળા રોડ, ડોક્ટર બળવંતભાઈ પંડ્યાનું દવાખાનુ વાઘપરા, ગાયત્રી પ્રોવિઝન સ્ટોર સાવસર પ્લોટ, નલીની વિદ્યાલય વાવડી રોડ, પ્રગતિ ક્લાસીસ વીસી હાઇસ્કુલની બાજુમાં, વિજ્ઞેશમ ક્લાસીસ વાવડી રોડ, પરશુરામ ધામ નવલખી રોડ, નવજીવન સ્કૂલ રવાપર રોડ, નિર્મલ વિદ્યાલય રવાપર રોડ, જ્ઞાનપથ-જ્ઞાનવિહાર શનાળા રોડ, નવયુગ સ્કૂલ મોરબી રાજકોટ હાઇવે, બાની વાડી જીઆઇડીસી છાત્રાલય રોડ, વાવડી રોડ વાવડીરોડ, માધાપરા, મહેન્દ્રપરા, ભગવતીપરા, વી સી ટેક હાઇસ્કુલ-મોરબી સહિતના સ્થળોએ પરિણામ જમા કરાવી શકાશે.

- text