મોરબી : હર ઘર તિરંગા કાર્યક્રમ તેમજ અન્ય બાબતોની સમીક્ષા અર્થે મનીષા ચંદ્રાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ

- text


મોરબી : મોરબી જિલ્લા પ્રભારી સચિવ મનીષા ચંદ્રા (IAS)ના અધ્યક્ષસ્થાને હર ઘર તિરંગા કાર્યક્રમ, કોરોના રસીકરણ તેમજ જિલ્લાની અન્ય મહત્વની બાબતોની સમીક્ષા બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી.

આ તકે સચિવે જિલ્લા દ્વારા હર ઘર તિરંગા અન્વયે કરવામાં આવેલા આયોજન વિશે વિગતો મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. ઉપરાંત કોરોના અન્વયે રસીકરણ, જિલ્લાનું આરોગ્ય માળખું અને તૈયારીઓ, SDG અંતર્ગત જિલ્લાની સ્થિતિ વગેરે બાબતોની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા.

આ બેઠકમાં જિલ્લા કલેકટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નાયબ પોલીસ અધિક્ષક અતુલ બંસલ, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલાબેન ગોહિલ અને ઇશિતાબેન મેર, પશુપાલન નિયામક કટારા, મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા તેમજ પશુપાલન વિભાગ અને જિલ્લા વહીવટતંત્રના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text