મોરબીની સાર્થક સ્કૂલમાં વિનામૂલ્યે આર્યુવેદ-હોમિયોપેથીક નિદાન કેમ્પ યોજાશે

- text


આયુર્વેદિક ઔષધિઓ, આયુર્વેદિક જીવનશૈલી તેમજ યોગ વિષયક ચાર્ટનું પ્રદર્શન

મોરબી : મોરબીની સાર્થક સ્કૂલમાં વિનામૂલ્યે આર્યુવેદ-હોમિયોપેથીક નિદાન કેમ્પ યોજાશે. આ કેમ્પનો લાભ લેવા તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ જાહેર જનતાને અનુરોધ કરાયો છે.

આયુષની કચેરી, ગાંધીનગર તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી મોરબીની સૂચના તથા માર્ગદર્શન અન્વયે સરકારી આયુર્વેદ દવાખાનું, જનરલ હોસ્પિટલ, મોરબી તેમજ સરકારી હોમિયોપથી દવાખાનું, જનરલ હોસ્પિટલ, મોરબી દ્વારા સાર્થક વિદ્યા મંદિરના સહયોગથી તા.5/08/2022 ને શુક્રવારે સવારે 9:00 થી બપોરે 12:30વાગ્યા સુધી સાર્થક વિદ્યામંદિર, મોરબી-2 ખાતે વિનામૂલ્યે આયુર્વેદ તથા હોમિયોપથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે તો આ કેમ્પનો લાભ લેવા તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ જાહેર જનતાને અનુરોધ કરાયો છે.

- text

આ કેમ્પમાં સેવા વૈદ્ય ખ્યાતિબેન ઠકરાર (મે.ઓ. આયુર્વેદ), વૈદ્ય જિગ્નેશભાઈ બોરસાણિયા (મે.ઓ. આયુર્વેદ), ડૉ. હેતલબેન હળપતિ (મે.ઓ. હોમિયોપથી) સારવાર આપશે આ કેમ્પમાં આયુર્વેદિક નિદાન, સારવાર (વિનામૂલ્ય) તેમજ હોમિયોપથિક નિદાન, સારવાર ( વિનામૂલ્ય) અને આયુર્વેદિક ઔષધિઓ, આયુર્વેદિક જીવનશૈલી તેમજ યોગ વિષયક ચાર્ટનું પ્રદર્શન, આયુર્વેદિક રોગ પ્રતિરોધક અમૃતપેય ઉકાળા તથા દવા વિતરણ, હોમિયોપથિક રોગ પ્રતિરોધક દવા વિતરણ, બાળકો તથા સગર્ભા મહિલાઓ માટે પોષણક્ષમ વાનગીઓનુ ચાર્ટ દ્વારા માર્ગદર્શન, હરસ, મસા, શ્વાસ, એલર્જી, ચામડીના રોગ, સ્ત્રીઓના રોગ, બાળકોના રોગ,પાચન સંબંધી તકલીફ તેમજ જીવનશૈલી આધારિત રોગોનું નિદાન અને સારવાર, ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોઝ” આ સૂત્ર મુજબ તંદુરસ્ત રહેવા માટેનું માર્ગદર્શન અને આયુર્વેદ તેમજ હોમિયોપથી દવાઓ વિના મૂલ્યે આપવામાં આવશે.

- text