જામનગર-વડોદરા અને સોમનાથ-અમદાવાદ ટ્રેન 28 ઓગસ્ટ સુધી દર શનિ-રવિ રદ રહેશે

- text


 

મોરબી : પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો ટેકનિકલ કારણોસર 23મી જુલાઈથી 28મી ઓગસ્ટ, 2022 સુધી દર શનિવાર અને રવિવારે રદ રહેશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન દર શનિવાર અને રવિવારે રદ કરાયેલી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

- text

1. ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ

2. ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ

3. ટ્રેન નંબર 19119 અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસ

4. ટ્રેન નંબર 19120 સોમનાથ-અમદાવાદ એક્સપ્રેસ

 

- text