નર્મદા કેનાલમાં ડૂબી જતાં પરપ્રાંતિય શ્રમિકનું મૃત્યુ

- text


ઉંચી માંડલ અને તળાવીયા શનાળા વચ્ચે બનેલો બનાવ

મોરબી : મોરબીના ઉંચી માંડલ અને તળાવીયા શનાળા વચ્ચે આવેલી નર્મદા કેનાલમાં ડૂબી જતાં મૂળ મધ્યપ્રદેશના વતની શ્રર્મિકનું મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના આરસીગામ ગામના વતની અને હાલમાં ઉંચી માંડલ ગામની સીમમાં આવેલ ટેસા સેનેટરીવેર્સ કારખાનામા રહી મજૂરી કામ કરતા ગનસાભાઇ જમારીયાભાઇ ઠાકુર ઉ.54 નામના શ્રમિક તળાવીયા શનાળા અને ઉંચી માંડલ વચ્ચે આવેલ નર્મદા કેનાલમાં ડૂબી જતાં સાયફનમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text