17 જુલાઈએ મોરબીમાં નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન

- text


મોરબીઃ આગામી તારીખ 17 જુલાઈ ને રવિવારના રોજ મોરબીમાં શેલ્બી હોસ્પિટલ- અમદાવાદ, રોટરી ક્લબ ઓફ મોરબી અને સ્વામિનારાયણ સંસ્કારધામ ટ્રસ્ટ- મોરબીના સહયોગથી નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના જીઆઈડીસી મેઈન રોડ પર, શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિરની પાછળ સંસ્કાર બ્લડ બેંક ખાતે સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી આ નિદાન કેમ્પ યોજાશે. જેમાં લોકોને ભાગ લેવા અનુરોધ કરાયો છે.

- text

આ નિઃશુલ્ક નિદાન કેમ્પમાં નિષ્ણાત ડોક્ટરોની ટીમ ઉપસ્થિત રહીને દર્દીઓની તપાસ કરશે. જેમાં ડો. નીતિન બુદ્ધદેવ ( વરિષ્ઠ ઘૂંટણ અને સાંધાના નિષ્ણાત), ડો. સચિન પટેલ (મગજ અને કરોડરજ્જુના નિષ્ણાત), ડો. ભાવિક પટેલ (કરોડરજ્જુના નિષ્ણાત), પો.ડો. અભિષેક જૈન (બ્રેસ્ટ એન્ડ થોરેસિક એન્કો સર્જન) અને ડો. પરેશ ગમારા (ટ્રોમા સર્જન) ઉપસ્થિત રહીને દર્દીઓને ચકાસશે.. નિદાન કેમ્પમાં રજિસ્ટ્રેશન માટે મો.નં. 9512008155, 7069001001 પર સંપર્ક કરવો અને વધુ માહિતી માટે ડો. પરાગ પારેખનો સંપર્ક કરવો.

- text