ટંકારાના નેકનામનો વિદ્યાર્થી જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષામાં ઉતિર્ણ

- text


ટંકારા: તાજેતરમાં લેવાયેલી જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષામાં નેકનામ ગામનો આર્ય વિદ્યાલયમ શાળામાં ભણતો વિદ્યાર્થી કેવિન અરવિંદભાઈ મુંદડીયા ઉત્તીર્ણ થયો છે.

- text

દર વર્ષે જવાહર નવોદય વિદ્યાલય દ્વારા ધોરણ 6 માટેની પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. આ પરીક્ષા ધોરણ 5માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ આપી શકે છે. આ પરીક્ષા ઉતિર્ણ કરનારને કેન્દ્ર સરકાર તરફથી જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 6 થી 12 સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ, પોષણયુક્ત ભોજન તેમજ હોસ્ટેલની સુવિધા તદ્દન ફ્રી હોય છે. આ વર્ષે જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષામા આર્ય વિદ્યાલયમ ટંકારા પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી કેવિન મુંદડીયા ઉતિર્ણ થયો છે. કેવિને જવાહર નવોદયની આ અતિ કઠિન મનાતી પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ કરીને પોતાના માતા-પિતા, ગામ અને નેકનામ ગામનું ગૌરવ વધાર્યું છે.

- text