વાંકાનેર પોલીસે માનવતા મહેકાવી : અસ્થિર મગજના યુવકનું ઓરિસ્સામાં રહેતા પરિવાર સાથે કરાવ્યું મિલન

- text


 

વાંકાનેર : પોલીસ માત્ર ગુનેગારોને પકડવા માટે જ નહીં, પણ સમાજની અન્ય કોઈ વિકટ પરિસ્થિતિમાં પણ મદદરૂપ થાય છે. આ વાતનું દ્રષ્ટાંત આપતા વાંકાનેર પોલીસે રખડતા ભટકતા ઓરીસ્સાના અસ્થીર મગજના યુવકનું પરિવાર સાથે મિલન કરાવી માનવતા મહેકાવી છે.

તા2એ અમરજીતસિંહ જીતુભા ઝાલા રહે,વાંકાનેરવાળાએ વાંકાનેર પોલીસને ફોન ઉપર માહિતી આપી હતી કે રાજશકિત પેટ્રોલપંપ  થાન રોડ ખાતે ઓરિસ્સાનો એક અજાણ્યો માણસ ફકત ચડી પેહેરેલ છે તેવી હાલત છે.અને માનસીક બીમાર હોય તેવી વર્ધી લખાવતા જે વર્ધી આધારે અસ્થીર મગજના માણસને વાંકાનેર સીટી પો.સ્ટે ખાતે લઇ આવતા તેની પાસેથી એક આધારકાર્ડ તથા મોબાઇલનં વાળી કાપલી મળી આવેલ હોય જેમા તેનુ નામ કાલીચરણ નેત્રાનંદ નાયક ઉ.વ ૩૨ ધંધો મજુરી રહે,હાલ સ્કાયટચ સીરામીક પાવડીયારી તા.જી મોરબી મુળગામ ગોવિંદપુર તા.ઉદાલા થાના ઉદાલા જી.મયુરભંજ ઓરીસ્સા વાળા હોવાનુ જાણવા મળેલ હતું.

- text

તેમજ તેની પાસે રહેલ કાપલીમા મોબાઇલ નંબર દ્રારા તેના મામા ઉપેન્દ્ર શ્યામસુન્દર નાયક ઉ.વ ૪૫ ધંધો મજુરી રહે,હાલ સ્કાયટચ સીરામીક પાવડીયારી તા.જી મોરબી મુળગામ ગોવિંદપુર તા.ઉદાલા થાના ઉદાલા જી.મયુરભંજ ઓડીસાનો સર્પક કરી તેનો સગો ભાણેજ થાય અને તેને મગજની માનસીક બીમારી હોય તેમ જણાવેલ હોય જેથી આજરોજ તેના મામા તથા સગા સબધીને કાલીચરણ નેત્રાનંદ નાયક ઉ.વ ૩૨વાળાને વતનમા લઇ જવા માટે સોપી આપેલ છે.અને તેના પરીવાર સાથે મીલાપ કરાવી આપેલ છે.

આ કામગીરીમા પો.ઈન્સ એન.એ.વસાવા  પો.હેડ.કોન્સ. યશપાલસિંહ, ભવાનસિંહ પરમાર, બળદેવસિંહ મહાવીરસિંહ જાડેજા તથા પો.કોન્સ જગદીશભાઇ ચીકાભાઇ ગાબુ વિગેરે જોડાયેલ હતા.

- text