માળીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારનો પાણીપ્રશ્ન ઉકેલવા રજુઆત 

- text


ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન દ્વારા પાણી પુરવઠા મંત્રીને રજુઆત કરાઈ 

માળીયા(મી.) : માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અનિયમિત અને અપૂરતું મળતું હોવાથી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરીએ ગુજરાત રાજ્યના પાણી પુરવઠા મંત્રીને રજુઆત કરી વહેલી તકે પાણી પ્રશ્નનું નિરાકરણ લાવવા માંગ ઉઠાવી છે. ખાસ કરીને માળિયા તાલુકાના પીપળીયા ચાર રસ્તાએ આવેલ સંપ તેમજ ઓવર હેડ ટેંક દ્વારા આજુબાજુના જે વિસ્તારના ગામોમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે.તે વિતરણ વ્યવસ્થાની ખામી યુક્ત હોય અનેક ગામોને હાલમાં પુરતું પાણી મળી રહ્યું નથી.

ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન દ્વારા રજુઆતમાં જણાવ્યું છે કે, માળીયા તાલુકાના દેરાળા ગામે છેલ્લા ૨૦ દિવસ થયા પાણી ન મળવાના કારણે ગામની મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ હતું. આ જ રીતે આ વિસ્તારના ગામો જેવા કે કુંતાસી, બોડકી, ન્યુ નવલખી, વર્ષામેડી, જુમાવાડી, ખીરસરા, નાના દહીસરા, મોટા દહીસરા, બગસરા, નાના ભેલા, મોટા ભેલા, ભાવપર,મોટીબરાર,નાની બરાર, જસાપર, જાજાસર -મેઘપર, દેરાળા, તરઘરી, ચાચાવદરડા, સરવડ વગેરે ગામોને નિયમિત તેમજ પુરતું પીવાનું પાણી મળતું નથી.હાલમાં જયારે મચ્છુ – ૨ ડેમમાં પુરતો પાણીનો જથ્થો છે.સિંચાઈ માટે પણ પાણી કેનાલમાં છોડવામાં આવેલ છે. તેમ છતાં આ ગામોને નિયમિત અને પુરતું પાણી મળી રહ્યું નથી.

- text

જો આ બાબતે સાતમાં દિવસમાં યોગ્ય કરવામાં નહી આવે તો, આઠ દિવસ બાદ દરેક ગામોનો પ્રવાસ કરી અને લોકોની સમસ્યા જાણી અને આગળના પ્રોગ્રામો નક્કી કરીશું.ઉપરાંત આ ગામોના લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.પાણી પ્રશ્નનું વહેલી નિરાકરણ લાવવા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી.બાવરવાએ પાણી પુરવઠામંત્રી ઋષિકેશભાઈ પટેલને રજુઆત કરી છે.

- text