માટેલ-વિરપર ગામે રસ્તામાં ધુળ-કચરાના ઢગલા અંગે મામલતદારને રાવ

- text


વાંકાનેર : માટેલ-વિરપર સયુંકત ગામના રસ્તાઓનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.આ રસ્તાઓ પર ભારે વાહનોના ડ્રાઇવરો કચરા અને ધૂળના ઢગલાઓ કરતા હોવાથી ગામના સરપંચ દ્વારા મામલતદારને રજુઆત કરવામાં આવી છે.

- text

વાંકાનેર તાલુકાના માટેલ ગામથી ડાયવર્જન કરવામાં આવેલ હોવાથી ઓવરલોડ વાહનો માટે જે રસ્તો બનાવેલ છે તે રસ્તો માટેલથી વડીયાના માર્ગ તરફનો છે.આ રસ્તા પર ટ્રકો-ખટારાના ડ્રાઇવરો ધુળો અને કચરાના ઢગલા ઠાલવે છે.જે અંગે યોગ્ય તપાસ કરી આ પ્રશ્ન હલ કરવા માટેલ-વિરપર સયુંકત ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા વાંકાનેર મામલતદારને રજુઆત કરી છે.

- text