આગામી રવિવારે મોરબીમાં ‘જિંદગીને જીવંત બનાવીએ’ વ્યાખ્યાનમાળા

- text


મોરબી : સિનિયર સિટીઝન કાઉન્સિલ મોરબી દ્વારા આગામી તારીખ 5/6/2022ને રવિવારના રોજ સવારે 10થી 12 કલાક દરમ્યાન ધન્વંતરી ભવન, મોરબી ખાતે ડો. સતિષભાઈ પટેલની વ્યાખ્યાનમાળા ‘જિંદગીને જીવંત બનાવીએ’ રાખવામાં આવી છે.જેનો સીનીયર સીટીઝન કાઉન્સિલના સભ્યો તથા સભ્યો સિવાયના અન્ય સીટીઝનોને પણ લાભ લેવા અનુરોધ કરાયો છે. કાર્યક્રમ બાદ અલ્પાહાર પણ રાખવામાં આવ્યો છે.

- text