મોરબી મહાકાલેશ્વર મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવતીકાલે મહાયજ્ઞ

- text


જિલ્લા પોલીસ પરિવાર દ્વારા તાલુકા પોલીસ લાઈન ખાતે ભવ્ય મંદિર નિર્માણ કરાયું

મોરબી : મોરબી જિલ્લા પોલીસ પરિવાર દ્વારા મોરબી તાલુકા પોલીસ લાઈન ખાતે મહાકાલેશ્વર મહાદેવના નવનિર્મિત મંદિરનો ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે જેમાં આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અંતિમ દિવસે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

મોરબી જિલ્લા પોલીસ પરિવાર દ્વારા તાલુકા પોલીસ લાઇન ખાતે ભવ્ય મહાકાલેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં આવતીકાલે તારીખ 1 જૂનને બુધવારના રોજ નવનિર્મિત મહાકાલેશ્વર મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે સવારે 9 વાગ્યાથી બપોરે 12-30 વાગ્યા સુધી મહાયજ્ઞ યોજાશે. યજ્ઞ કાર્યના મુખ્ય પ્રધાનાચાર્ય તરીકે પૂ. શાસ્ત્રી હસુભાઈ વી. પંડ્યા બિરાજશે. સવારે 7 કલાકે મહાઆરતી થશે અને સાંજે 8 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે.

- text