મોરબી : તા. 17 જૂને ચાંદલીયાવાળા મામાદેવનો નવરંગો માંડવો

- text


મોરબી : મોરબીના ઘુટુ રોડ ઉપર રામકો સોસાયટી પાસે આવેલા ચાંદલીયાવાળા મામદેવની જગ્યા ખાતે આગામી તા.17 જુનને શુક્રવારે રાત્રે 9:00 કલાકે ચાંદલીયાવાળા મામાદેવ મિત્ર મંડળ દ્વારા નવરંગા માંડવાનું ભવ્ય ડાક ડમર સાથે આયોજન કરવામાં આવ્યું છે. ભુવા યુવરાજસિંહ રાઠોડ તથા કલાકાર ભાવેશભાઈ ગુજ્જર મામાદેવના ગુણગાન ગાશે. આ પ્રસંગે સર્વે ધર્મપ્રેમીઓને પધારવા આયોજકો દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.

- text