મોરબીના ઘુંટુમાં ઘરમાં પડી જતા વૃદ્ધનુ મૃત્યુ

- text


મોરબી : મોરબીના ઘુંટુ ગામે રામકો વિલેજ ખાતે રહેલા અનંતરાય પ્રેમશંકર જોષી ઉ.81 ગત તા.9ના રોજ પોતાના ઘરે પડી જતા પ્રથમ મોરબી બાદ રાજકોટ સારવારમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરુ કરી છે.

- text