- text
માળીયા (મી.) : માળીયા તાલુકાના રાસંગપર ગામે ગત તારીખ 15ને રવિવારના રોજ આદ્રોજા પરિવાર દ્વારા નવચંડી યજ્ઞ અને સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય નવ યજમાન દ્વારા નવચંડી હવન યોજાયો હતો.
વહેલી સવારે દેહશુદ્ધિ બાદ યજ્ઞનો પ્રારંભ થયો હતો તેમજ બપોરે બીડુ હોમવામાં આવ્યુ હતું. આ સાથે બપોરે મહાપ્રસાદ પણ યોજાયો હતો. ચા-પાણી, મહાપ્રસાદ સહિતના દાતાઓના સાથ સહકારથી મુખ્ય આયોજક પંકજભાઈ દિલીપભાઈ, મહેન્દ્રભાઈ દેવજીભાઈ, બાલુભાઇ પ્રભુભાઈ તથા જયંતીભાઈ હરખજીભાઈના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક નવચંડી યજ્ઞ સંપન્ન થયો હતો.
- text
- text