વવાણિયામાં રામબાઈમાંના પાટોત્સવનું CMને રૂબરૂ આમંત્રણ પાઠવતા મોરબીના અગ્રણીઓ

- text


આહીર સમાજના અગ્રણી અને મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી દ્વારા .આર.પાટીલને પણ આમંત્રણ અપાયું

માળીયા (મી.) : માળીયા (મી.)ના વવાણિયા ગામ ખાતે રામબાઈમાંની જગ્યામાં પાટોત્સવનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં આહીર સમાજના અગ્રણી અને મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી દ્વારા પ્રદેશ ભાજપ અધ્યક્ષ-મુખ્યમંત્રીને આમંત્રણ આપવામાં આવ્યું છે.

મોરબી જિલ્લાના માળીયા (મી.) તાલુકાના વવાણિયા ગામ ખાતે રામબાઈમાંની જગ્યામાં તા.17ને મંગળવારના રોજ પાટોત્સવનું આયોજન કરવામાં આવેલ છે.આ પાટોત્સવ સાથે નવનિર્મિત ભોજનાલય,સભાખંડ અને ગૌશાળાનું ઉદઘાટન સમારોહ પણ યોજાનાર છે.

આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલને હાજર રહેવા માટે આહીર સમાજના અગ્રણી એવા ઉગાભાઈ રાઠોડ અને જેઠાભાઇ મયાત્રા તેમજ મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી બાબુભાઇ હુંબલની હાજરીમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું.તેઓ દ્વારા સ્વીકાર કરી આ કાર્યક્રમમાં હાજરી આપનાર છે.

- text

- text