- text
ટંકારા : ટંકારામાં વહેલી સવારે નમાજ પઢવા ગયેલા સગીરના એક્સેસને નવા ઓવરબ્રિજના છેડે કોઈ અજાણ્યા વાહને હડફેટે લેતા સગીરનું રાજકોટ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.1 મે ના રોજ ટંકારા ગામે રહેતા અને ઇમિટેશનનો વ્યવસાય કરતા હાજીભાઈ અમીભાઈ ચૌધરીનો સગીરવયનો પુત્ર વસીમ વહેલી સવારે નમાજ પઢવા ગયો હતો ત્યારે નવા ઓવરબ્રિજના છેડે અજાણ્યા વાહને હડફેટે લેતા વસીમને ગંભીર ઇજાઓ સાથે રાજકોટ સરકારી બાદ ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
- text
બનાવ અંગે મૃતક વસીમના પિતા હાજીભાઈ અમીભાઈ ચૌધરીની ફરિયાદને આધારે ટંકારા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
- text