લજાઈના ગૌભક્તે ગૌમાતાને પાળી-પોષી, અંતિમ વેળાએ સમાધિ આપી

- text


પરિવારજનોએ 20 વર્ષ સુધી ગાયની પરિવારના સભ્યની જેમ કાળજી લીધી

ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગામના ગૌભક્ત પરિવારે 20 વર્ષ સુધી ગાયની પરિવારના સભ્યની જેમ કાળજી લીધી હતી. અને ગૌમાતા દેવલોક પામતા તેને અંતિમ વેળાએ સમાધિ આપી હતી.

લજાઈ ગામમાં રહેતા અનિલભાઈ છગનભાઈ મસોતના પરિવારે એક ગાય પાળેલી હતી. ગઈકાલે તા. 30ના રોજ તે વૃદ્ધ ગૌમાતા નિધન પામતા પરિવારજનો અને ગામલોકો દ્વારા વિધિવિધાનપૂર્વક ગાયને દફનાવીને સમાધિ આપવામાં આવી હતી.

- text

ઉલ્લેખનીય છે કે અનિલભાઈ મસોત પશુપાલનનો વ્યવસાય ધરાવતા નથી. છતાં આ ગાય 12 મહિનાની હતી ત્યારથી તેનું પાલનપોષણ ઉછેરી, 20 વર્ષ સુધી ગૌમાતાની નિ:સ્વાર્થભાવે સેવા કરી હતી. આમ, મસોત પરિવારે ગૌસેવાનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું.

- text