વાંકાનેરના વિઠ્ઠલપર ગામે જુના મનદુઃખમાં બે પરિવારો બાખડયા

- text


બન્ને પરિવારો દ્વારા સામસામી ફરિયાદ નોંધવાઈI

વાંકાનેર : વાંકાનેર તાલુકાના વિઠ્ઠલપર ગામે જુના માનદુઃખના ખારમાં બે પરિવારો વચ્ચે બઘડાટી બોલી જતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં સામસામી ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના વિઠ્ઠલપર ગામે રહેતા બળદેવભાઇ સંઘાભાઇ વીંજવાડીયાએ
ગોવિંદભાઇ અમરશીભાઇ સારલા રહે.વિઠ્ઠલપર વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી અગાઉ તેઓએ આરોપીના પુત્રો વિરુદ્ધ ફરિયાદ કરી હોય જેનો ખાર રાખી ભુંડાબોલી ગાળો આપી માથામાં લાકડાનો ધોકો મારી ગંભીર ઇજા પહોંચાડી હોવા અંગે ફરિયાદ નોંધાવી હતી.

- text

જ્યારે સામાપક્ષે ભારતીબેન વિજયભાઇ સારલાએ સગાભાઇ મોહનભાઇ વીંજવાડીયા, જશુબેન સગાભાઇ વીંજવાડીયા, વિપુલભાઇ મેરૂભાઇ વીંજવાડીયા તથા હકાભાઇ જાદુભાઇ વીંજવાડીયા, રહે.બધા વિઠ્ઠલપર વાળા વિરુદ્ધ અગાઉના મનદુઃખનો ખાર રાખી ભુંડાબોલી ગાળો આપી, ઢીકા પાટુનો માર મારી માથામાં લાકડાનો ધોકો મારી ઇજા કરેલ હોવાનું જાહેર કરતા પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી

- text