મોરબીમાં બિલ્ડિંગના ત્રીજા માળેથી પટકાતા શ્રમિકનું મૃત્યુ

- text


મોરબી : મોરબીમાં શનાળા રોડ ઉપર જીઆઇડીસી નજીક નવા બનતા બિલ્ડિંગમાં સેન્ટ્રીંગ કામ કરતા શ્રમિકનું ત્રીજા માળેથી પટકાતા મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શનાળા રોડ ઉપર જીઆઇડીસી નજીક બની રહેલા નવા બિલ્ડિંગમાં સેન્ટ્રીંગ કામ કરતા નાનીવાવડી ગામના ગોવીંદભાઇ નારણભાઇ વાઘેલા ઉ.37 સળિયા ફિટ કરતા હતા ત્યારે ત્રીજા માળેથી પટકાતા માથાના કપાળના ભાગે ઇજા પહોંચતા પ્રથમ મોરબી ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટ ખાતે લઈ જતા મૃત્યુ નિપજતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરુ કરી છે.

- text

- text