મોરબી તાલુકાના ખાનપર ગામે વતન જવાની જીદમાં સગીરાએ ગળેફાંસો ખાધો

- text


મોરબી : મોરબી તાલુકાના ખાનપર ગામે ખેતમજૂરી કરતા પરિવારની સગીરવયની દીકરીએ પિતા સાથે વતનમાં જવાની જીદ પકડી ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના ખાનપર ગામે જયંતીભાઈની વાડીએ રહી ખેતમજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના ધતુરીયા ગામના કાળુભાઇ વેશ્યાભાઇ બિલવાલની પુત્રી સુનીતાબેન ઉ.14એ તેણીના પિતા કાળુભાઇ વતન જતા હોઈ સાથે જવા જીદ કરી હતી પરંતુ પિતા સાથે લઈને નહીં જતા સુનિતાબેનને લાગી આવતા વાડીની ઓરડીમાં પોતાની જાતે ગળે ફાંસો ખાઇ લેતા મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરુ કરી છે.

- text

- text