વાઘગઢમાં હનુમાન જયંતીએ ત્રિવેણી કાર્યક્રમ યોજાયો

- text


શોભાયાત્રા નીકળાઈ, શેરીના નામકરણ કરાયા અને વડીલો, માતાઓ, દાતાનું સન્માન કરાયું

ટંકારા : સ્વચ્છતાના સરતાજ એવા વાઘગઢ ગામે હનુમાનજી જયંતી નિમિત્તે ત્રિવેણી કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જેમાં ભવ્ય શોભાયાત્રા નીકાળેલ, ભારતવર્ષના મહાપુરૂષો ઉપરથી દરેક શેરીનું નામકરણ કરવામાં આવેલ અને વાઘગઢ ગામને આર્થિક યોગદાન આપનાર તથા સતત ગામને સ્વચ્છ અને હરિયાળુ બનાવવામાં સતત ખેવના રાખનાર વડીલો, બહેનો અને માતાઓનું સન્માન કરવામાં આવેલ હતું.

તા. 16/04/2022 ને શનિવારે વાઘગઢ ગામે ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આ કાર્યક્રમની વિશેષતા એ જોવા જેવી હતી કે છેલ્લા પંદર દિવસથી આખા ગામને રંગરોગાન કરવા આવી રહ્યું છે. આ સામુહિક કાર્યને ગામ આખાયે હોંશે-હોંશે વધાવીને ગામને વ્હાઇટ હાઉસ જેવું બનાવી દીધેલ છે.

આ વ્હાઇટ હાઉસ બનાવી દેવાની તમામ જવાબદારી મહેન્દ્રભાઈ ભીખાભાઇ બારૈયાએ લીધેલ છે. આ કાર્ય કરવા માટેનો રંગરોગાન કરવાનો તમામ ખર્ચ પ્રખર આર્ય વિચારક, આર્ય વિદ્યાલયના પ્રમુખ માવજીભાઈ અમરશીભાઈ દલસાણીયાએ લીધેલ છે. આ હનુમાનજી જયંતિ નિમિત્તે આખા ગામના મહાપ્રસાદના યુવા અને વિરલ દાતા તેમજ જેઓના દિકરાના ટુંક સમયમા જ લગ્ન છે તો પહેલા મારા ગામને જમાડીને પછી સગાવ્હાલા અને મિત્રોને જમાડી આવી ઉત્તમ ભાવના રાખનાર સવજીભાઈ દેવશીભાઈ બારૈયા એ જવાબદારી લીધેલ છે. તેમજ ભારતના મહાપુરૂષો પરથી શેરીઓના નામ રાખવા પાછળનું તમામ ખર્ચ ગામ વિકાસમાં હરહંમેશ એકકદમ આગળ એવા કાનજીભાઈ રતનશીભાઈ છત્રોલા દ્વારા કરવામાં આવેલ છે.

આ કાર્યને બિરદાવવા વાઘગઢ ગ્રામ પંચાયતના બિનહરીફ યુવા સરપંચ વલ્લભભાઈ બારૈયા, ઉપસરપંચ જયેશભાઇ અને પંચાયત બોડીના સદસ્ય તથા તલાટી મંત્રી શીતલબેન દ્વારા આ કાર્યમાં સહયોગ આપનાર પચાસ શ્રમદાન કરનાર વડીલો, માતાઓ તથા દાતાનું સન્માન કરવામાં આવેલ હતું. આખા કાર્યક્રમનું સંચાલન સંજયભાઈ, જગદીશભાઈ અને દેવેન્દ્રભાઈ ફેફર તથા રમણિકભાઈ વડાવીયા દ્વારા કરવામા આવેલ હતું.

- text

- text