મોરબીના જલારામ મંદિરે 24મીથી પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત કથા

- text


વ્યાસપીઠ સ્થાનેથી બાળવિદુષી રત્નેશ્વરીબેન કથાનું રસપાન કરાવશે

મોરબી : મોરબી જલારામ મંદિરે ખાતે જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા સર્વપિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યો છે.શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની પોથીયાત્રા તા.24ને રવિવારના રોજ યોજાશે.કથામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે.કથા રસપાન કરવા ભક્તોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા આગામી તા.24ને રવિવાર થી તા.30ને શનિવાર દરમિયાન સર્વપિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું જલારામ પ્રાર્થના મંદિર-અયોધ્યાપુરી રોડ ખાતે આયોજન કરવામાં આવેલ છે.જેમાં વ્યાસાસને બાળવિદુષી રત્નેશ્વરીબેન (ગુરૂ ભાવેશ્વરી માતાજી-રામધન આશ્રમ) બિરાજમાન થશે.શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની પોથીયાત્રા તા.24ને રવિવારના રોજ દરિયાલાલ મંદીર-બજાર લાઈન મોરબી થી સાંજે 4 કલાકે પ્રસ્થાન થશે.પોથી યાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી જલારામ પ્રાર્થના મંદિર ખાતે પોથીની પધારમણી થશે.તેમજ શ્રીમદ્ ભાગવત સપ્તાહનો પ્રારંભ થશે.

જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ દરમિયાન આવતા વિવિધ ધાર્મિક પ્રસંગો તેમજ ઉત્સવો જેવા કે પરિક્ષીત રાજાનો જન્મ, શુકદેવ મહારાજનુ આગમન,વરાહ અવતાર, કપિલ અવતાર, નૃસિંહ અવતાર, વામન અવતાર, રામ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ, ગીરીરાજ ઉત્સવ, રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર, પરિક્ષીત રાજાનો મોક્ષ સહીતના પ્રસંગો ભક્તિભાવપૂર્વકથી ઉજવવામા આવશે.શ્રીમદ્ ભાગવત સપ્તાહનુ રસપાન દરરોજ બપોરે 3 થી 7 કલાક દરમિયાન યોજાશે.તેમજ દરરોજ કથા વિરામ થયા બાદ દરેક શ્રોતાઓ તેમજ ભાવિક ભક્તજનો માટે મહાપ્રસાદ સાંજે 7 કલાકે યોજાશે.

- text

શ્રીમદ્ ભાગવત સપ્તાહના યજમાન પદે સ્વ.શોભનાબેન હસમુખરાય પંડિત પરિવાર, જયંતિભાઈ વિરચંદભાઈ પોપટ પરિવાર, બટુકભાઈ નરભેરામભાઈ ચંદારાણા પરિવાર, ચંદ્રિકાબેન લાલજીભાઈ કારીયા પરિવાર, રમેશભાઈ મણીલાલભાઈ બુધ્ધદેવ પરિવાર, સ્વ.નરશીદાસ દેવકરણભાઈ સોમૈયા પરિવાર, કિર્તીકુમાર ત્રિભોવનદાસ પાવાગઢી પરિવાર, નરશીભાઈ મોતીભાઈ આહ્યા પરિવાર, બાબુલાલ જગજીવનભાઈ છગાણી પરિવાર, ધર્મેશભાઈ શાંતિલાલ દક્ષિણી પરિવાર, સ્વ.હીરાલાલ મુળજીભાઈ ચંદારાણા પરિવાર, ધીરજલાલ દયાળજીભાઈ કાથરાણી પરિવાર, સ્વ.ગોવિંદભાઈ દયાળજીભાઈ કાથરાણી પરિવાર, સ્વ.કાંતિલાલ કુંવરજીભાઈ કક્કડ પરિવાર, અતુલભાઈ મહેન્દ્રભાઈ કાનાબાર પરિવાર બિરાજમાન થશે.

શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ દરમિયાન મહાપ્રસાદ ચંદ્રિકાબેન લાલજીભાઈ કારીયા પરિવાર, બાબુલાલ જગજીવનભાઈ છગાણી પરિવાર, વિપુલભાઈ કાંતિલાલ કક્કડ પરિવાર, સ્વ. હિરાલાલ મુળજીભાઈ ચંદારાણા પરિવાર, સ્વ. છોટાલાલ પરમાનંદદાસ કંસારા પરિવાર, સ્વ.રસિકભાઈ ધનજીભાઈ કાનાબાર પરિવાર, બટુકભાઈ નરભેરામભાઈ ચંદારાણા પરિવાર, ધીરજલાલ દયાળજીભાઈ કાથરાણી પરિવાર, કનુભાઈ મગનલાલ ચંદારાણા પરિવાર સહીતના પરિવારોના સહયોગથી યોજાશે. શહેરની દરેક ધર્મપ્રેમી જનતાને શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની પોથી યાત્રામાં પધારવા,શ્રીમદ્ ભાગવત સપ્તાહનુ રસપાન કરવા તેમજ મહાપ્રસાદ ગ્રહણ કરવા પધારવા જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા આમંત્રણ પાઠવવામા આવ્યુ છે.તેમજ વધુ માહિતી માટે જલારામ મંદિર-મોરબીના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી- મો.9825082468 તથા અનિલભાઈ સોમૈયા- મો.8511060066 પર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યુ છે.

- text