મોરબીના પાટીદાર રત્નની પુણ્યતિથિ નિમિત્તે રવિવારે રક્તદાન કેમ્પ 

- text


મોરબી : મોરબીના પાટીદાર રત્ન અને સેવાના ભેખધારી સ્વ. શીવાભાઈ (શિવાબાપા) ઓગણજાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આગામી તા.17/4/2022ને રવિવારના રોજ સવારે 8:30 થી 5:00 કલાક દરમિયાન કન્યા છાત્રાલય મોરબી ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

શિવાબાપાનું જીવન સેવાનું બીજું નામ હતું. જેમના તપ અને ત્યાગથી મોરબી પંથકમાં અનેક સદ્કાર્યો થયા છે. ‘લોહીમાં છે માનવતા’ના સુત્રને સાકાર કરવા સ્વ. શીવાભાઈ ઓગણજાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાશે. ત્યારે સર્વે ભાઈઓ-બહેનોને આ સેવા કાર્યમાં જોડાવા અનુરોધ કરાયો છે.

- text