ખોખરાધામમાં આયોજિત રામકથામાં પધારેલા અગ્રણીઓનું યજમાને સન્માન કર્યું

- text


મોરબી : મોરબીના ભરતનગરમાં ખોખરા હનુમાન ધામ ખાતે ચાલી રહેલ રામકથામાં આર.ડી.સી. બેન્કના ચેરમેન, વાઇસ ચેરમેન તેમજ કચ્છ પાટણ જીલ્લાના આહીર સમાજના અધ્યક્ષનું સન્માન કરવામાં આવ્યું હતું.

ખોખરા હનુમાન ધામ ખાતે ગુજરાતની સૌથી ઊંચી મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે. જે અનુસંધાને રામકથા પણ ચાલી રહી છે. જેનું કથાશ્રવણ કનકેશ્વરીદેવી કરાવી રહ્યા છે. આ રામકથામાં નામી-અનામી વ્યક્તિઓ આવી કથાનો લાભ લઇ રહ્યા છે. એ જ રીતે રામકથામાં યજમાન અજય લોરીયા દ્વારા તેમના સ્નેહી આર.ડી.સી. બેન્કના ચેરમેન જયેશભાઇ રાદડિયા, વાઇસ ચેરમેન મગનભાઈ વડાવીયા તેમજ કચ્છ પાટણ જીલ્લાના આહીર સમાજના અધ્યક્ષ ત્રિકમભાઇ વાસણભાઇ આહીરનું સન્માન કરવામાં આવ્યું હતું.

- text

- text