મોરબીમાં બાળકો હનુમાન જ્યંતીએ કોરોના મૃતકોની શાંતિ માટે હનુમાન મંત્રના સવા લાખ જાપ કરશે

- text


સુર્યમુખી હનુમાન મિત્ર મંડળના સહકારથી બાળકો દ્વારા મંદિરે હનુમાન જયંતી ઉજવાશે

મોરબી : મોરબીમાં હનુમાન જયંતી નિમિતે સુર્યમુખી હનુમાન મિત્ર મંડળ દ્વારા વિશ્વ શાંતિ મહાયજ્ઞ,રાસગરબા અને બાળકો દ્વારા હનુમાન મંત્રના સવા લાખ જાપ કરવામાં આવશે.તેમજ શોભાયાત્રા કાઢવામાં આવશે.સમગ્ર આયોજન બાળકો દ્વારા કરવામાં આવ્યું છે.

- text

મોરબી સુર્યમુખી હનુમાન મિત્ર મંડળ દ્વારા હનુમાન જન્મોત્સવ નિમિતે તા.15ને શુક્રવારના રોજ સુર્યમુખી હનુમાનજી મંદિર ગુ.હા બોર્ડ મેઇન રોડ મોરબી – 2 ખાતે રાત્રે 9 કલાકે રસ ગરબા,તા.16 ને શનિવારના રોજ સવારે 6 કલાકે મંગળા આરતી,શણગાર આરતી સવારે 7 કલાકે,સવારે 7:30 કલાકે વિશ્વ શાંતિ મહાયજ્ઞ અને મારુતિ યજ્ઞ,સવારે 10 કલાકે હનુમાનની શોભાયાત્રા,બપોરે 12 કલાકે મહાઆરતી અને અન્નકોટ દર્શન,12:30 કલાકે મહાપ્રસાદ અને સાંજે 7:15 કલાકે સંધ્યા આરતી કરવામાં આવશે.આ ઉપરાંત કોરોના કાળમાં મૃત્યુ પામનાર મૃતકો માટે બાળકો દ્વારા હનુમાન મંત્રના સવા લાખ જાપ કરવામાં આવશે.સમગ્ર આયોજન બાળકો દ્વારા કરવામાં આવ્યું છે.

- text