વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચૂંટણીના વિવાદ વચ્ચે વહીવટદારની નિમણુંક

- text


વાંકાનેર : ઘણા સમયથી વાંકાનેર માર્કેટિંગ યાર્ડનો મુદ્દો હાઈકોર્ટમાં ચાલતો હતો.વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચૂંટણી થયા બાદ પલાસ,તીથવા અને પંચાસિયા ગામની સહકારી મંડળીના મતો અલગ કવરમાં સીલ પેક કરાયા હતા અને આ ઉપરાંત બીજા અન્ય મુદા હાઈકોર્ટમાં ચાલતા હતો.

- text

વધુમાં મળેલી માહિતી મુજબ વાંકાનેર માર્કેટિંગ યાર્ડનો મુદ્દો હાઈકોર્ટમાં ચાલતો હતો.તેમજ વાંકાનેર માર્કેટિંગ યાર્ડના વહીવટી બોડીની મુદત પૂરી થઈ ગઈ છે અને નવી ચૂંટણીનું પરિણામ વિવાદને કારણે હજુ જાહેર થઇ શકયું નથી.ત્યારે વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં વહીવટદાર મુકી દેવામાં આવ્યા છે.આજે સવારે 9 વાગ્યાની આસપાસ સુરેન્દ્રનગરના એ.ડી.આર.બિમલ પટેલે વાંકાનેર માર્કેટિંગ યાર્ડનો ચાર્જ સાંભળ્યો છે. હવે વાંકાનેર માર્કેટિંગ યાર્ડના વહીવટી નિર્ણયો વહીવટદાર સંભાળશે.

- text