મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતિ નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઈ

- text


દરબાર ગઢથી નીકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા

મોરબી : મોરબીમાં જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામીની જન્મજયંતિની ધર્મોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી અને ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતિ નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. દરબાર ગઢથી નીકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા હતા.

મોરબીમાં કોરોના કાળના બે વર્ષ બાદ જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામીના જન્મોત્સવને હરખભેર મનાવવામાં આવ્યો હતો. જેમાં જૈન સમાજ દ્વારા મોરબીના દરબાર ગઢ ખાતેથી ભવ્ય રથમાં ભગવાન મહાવીર સ્વામીને બિરાજમાન કરીને ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં જૈન સમાજના મોટી સંખ્યમાં લોકોએ જોડાઈને ભગવાન મહાવીર સ્વામીના જન્મોત્સવને હરખભેર મનાવ્યો હતો. આ શોભાયાત્રા ગ્રીન ચોક, નહેરુ ગેઇટ ચોક, જુના બસ સ્ટેન્ડ સહિતના મુખ્યમાર્ગો ઉપર ફરી હતી. આ શોભાયાત્રામાં 14 સ્વપ્ન અને મહાવીર સ્વામીની પાલખી સાથે લોકો જોડાયા હતા.

- text

- text