મોરબીમાં આજે સિંધી સમાજના નૂતન વર્ષ ચેટીચાંદ તથા ઝુલેલાલ જયંતીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

- text


સિંધી સમાજ દ્વારા શોભાયાત્રા તેમજ મહાપ્રસાદનું આયોજન

મોરબી : સિંધી સમાજનું નૂતન વર્ષ ચેટીચંદ તથા ઝુલેલાલ જયંતી પર્વની આજે મોરબીમાં સમસ્ત સિંધી સમાજ દ્વારા અનેરા ધર્મોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી ઉજવણી ન થઈ હોવાથી આ વખતે સિંધી સમાજમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. સિંધી સમાજ દ્વારા શોભાયાત્રા, પ્રસાદ વિતરણ, સત્સંગ કીર્તન સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.

મોરબી સિંધી સમાજના યુવા આગેવાન નવીન માખીજાએ જણાવ્યું હતું કે, આજે મોરબીમાં ચેટીચાંદ નિમિત્તે સિંધુભવન સ્ટેશન રોડ ખાતે જુલેલાલ જન્મોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સવારે 8 કલાકે ધ્વજારોહણ બાદ, 11 કલાકે આરતી,12:30 કલાકે મહાપ્રસાદ,સાંજે 4:30 કલાકે શોભાયાત્રા અને રાત્રે 7:30એ નેહરુ નગર ગેટ પાસે સંધ્યા આરતી સહિતના આયોજનો હાથ ધરવામાં આવ્યા છે.

આ તકે સર્વે સિંધી સમાજના ભાઈ-બહેનોને બહોળી સંખ્યામાં ચેટીચાંદના આ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહયા હતા અને ઝુલેલાલ જન્મોત્સવ સમિતિ દ્વારા ભારે જહેમત ઉઠાવી આયોજન ઘડી કઢાયા હતા.

- text

ચેટી ચાંદ પર્વે રાજ્ય મંત્રી બીજેશ મેરજાએ જણાવ્યું હતું કે આજથી સિંધી ભાઈઓનું નવું વર્ષ શરૂ થઇ રહ્યું છે ત્યારે પવિત્ર તહેવાર ચેટીચાંદ નિમિતે સર્વે સિંધી ભાઈઓને શુભકામના પાઠવી હતી અને ઝુલેલાલજીના પવિત્ર મંદિરની જગ્યામાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ સાથે આજે હિંદુ ભાઈઓ માટે ચૈત્રી નવરાત્રીનો તહેવાર શરૂ થાય છે તો તે અંગેની પણ સર્વ હિંદુ ભાઈઓને શુભકામના પાઠવી ભારતના વિકાસમાં સિંધી સમાજનું અનેરું યોગદાન હોવાનું જણાવી ભગવાન ઝૂલેલાલ તેમને શક્તિ આપે અને સિંધી સમાજનો વિકાસ થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી.

- text