મોરબીમાં 7મીથી રામ પારાયણનો પ્રારંભ

- text


મોરબી : મોરબીમાં રોકડીયા હનુમાનજી ગૌ-શાળા તથા સમસ્ત સેવક ગણ દ્વારા રામ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે.રામ પારાયણ કથાશ્રવણ કરવા ભક્તોને આમત્રંણ આપવામાં આવ્યું છે.

મોરબીમાં રોકડીયા હનુમાનજી ગૌ-શાળા તથા સમસ્ત સેવક ગણ દ્વારા રામ પારાયણનું આગામી તા.7ના રોજ પ્રારંભ થશે.તેમજ કથા પુર્ણાહુતી તા.15ના રોજ થશે.કથા રસપાન અવધકિશોરદાસબાપુ કરાવશે.કથામાં વિવિધ કાર્યક્રમો ઉજવવામાં આવશે.જેમાં તા.7ના રોજ પોથીયાત્રા,તા.10ના રોજ રામ જન્મોત્સવ,તા.12ના રોજ સાંજે રામ વિવાહ,તા.15ના રોજ રામેશ્વર જ્યોતિર્લિંગનું પૂજન તથા તા.16ના રોજ હનુમાન જ્યંતિના દિવસે સુંદરકાંડ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.આયોજક રોકડીયા હનુમાનજી ગૌ-શાળાના ઓમપ્રમાશદાસબાપુ તથા સમસ્ત સેવક ગણ(94273 76861) દ્વારા લોકોને આમત્રંણ આપવામાં આવ્યું છે.

- text

- text