ખાનપરમાં નશાના વ્યસનથી કંટાળી આધેડે જીવાદોરી ટૂંકાવી

- text


મોરબી : મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા આધેડે નશાના વ્યસનથી કંટાળી શરીરે કેરોસીન છાંટી જાત જલાવી લેતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા વનરાજસિંહ બચુભા ઉર્ફે મગુભા જાડેજા, ઉ.57 નામના આધેડેને વર્ષોથી નશો કરવાની આદત હોય વ્યશન છુટતુ ન હોય અને નશા વગર તેનુ શરીર કામ કરતુ ન હોય વ્યશનથી કંટાળી જઈ પોતે પોતાની મેળે શરીરે કેરોસીન છાંટી લેતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text