મોરબીમાં શનિવારે સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ ઉજવાશે

- text


મોરબી : મોરબીમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે.

મોરબીમાં ચેટીચાંદ નિમિત્તે આગામી તા.2ના રોજ સિંધુભવન સ્ટેશન રોડ ખાતે જુલેલાલ જન્મોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સવારે 8 કલાકે ધ્વજારોહણ.11 કલાકે આરતી,12:30 કલાકે મહાપ્રસાદ,સાંજે 4:30 કલાકે શોભાયાત્રા અને રાત્રે 7:30એ નેહરુ નગર ગેટ પાસે સંધ્યા આરતી સહિતના આયોજનો હાથ કરવામાં આવ્યા છે.

- text

તો આ તકે સર્વે સિંધી સમાજના ભાઈઓને બહોળી સંખ્યામાં ચેટીચાંદના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ઝુલેલાલ જન્મોત્સવ સમિતિ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.ભેરાણા સાહેબ-બાબા બાલકરામ ગ્રુપ દ્વારા રાત્રે 9:30 કલાકે હનુમાનજી મંદિર ગ્રાઉન્ડ,ત્રિલોકધામ મંદિર પાસે,કુબેર નગર,ધક્કાવાળી મેલડી મંદિર પાસે,મોરબી ખાતે એક કાર્યક્રમ યોજાશે.

- text