હળવદમાં “આપ” દ્વારા વિજય તિરંગા યાત્રા યોજાઈ

- text


પંજાબમાં થયેલ ચૂંટણીની જીતનો જશ્ન મનાવાયો

હળવદ : આમ આદમી પાર્ટી હળવદ દ્વારા હળવદ શહેરની અંદર વિજય તિરંગા યાત્રા યોજવામાં આવી હતી.પંજાબમાં આમ આદમી પાર્ટીની જંગી બહુમતીથી સરકાર બનતા જીતનો જશ્ન મનાવા શહેરમાં વિજય તિરંગા યાત્રા યોજવામાં આવી હતી.તેમજ ગુજરાતની અંદર આવનારી વિધાનસભા 2022ની ચૂંટણીમાં પોતાનું રાજકીય વર્ચસ્વને મજબૂત કરવા પ્રસાર-પ્રચાર કરવામાં આવ્યો હતો.આ યાત્રામાં જેમાં મોટી સંખ્યામાં જિલ્લા હોદ્દેદારો,તાલુકાના હોદ્દેદારો તેમજ ગ્રામ્યકક્ષાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

પંજાબમાં આમ આદમી પાર્ટીની જંગી બહુમતીથી સરકાર બની ત્યારબાદ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી 2022માં યોજાવાની છે. ત્યારે પંજાબની ચૂંટણીનો જીતનો જશ્ન તેમજ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની કાર્યશૈલીથી ગુજરાતની અંદર આવનારી વિધાનસભા 2022ની ચૂંટણીમાં પોતાનું રાજકીય વર્ચસ્વને મજબૂત કરવા.તથા આમ આદમીની ગુજરાતમાં સરકાર બનાવવા માટે સમગ્ર રાજ્યમાં જિલ્લા તેમજ તાલુકા લેવલે તિરંગા યાત્રા કાઢી પાર્ટીના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીનો પ્રચાર પ્રસાર કર્યો હતો.તેથી હળવદમાં પણ ઉત્સાહથી વિજય તિરંગા યાત્રા કાઢવામા આવી હતી.જેમાં મોટી સંખ્યામાં જિલ્લા હોદ્દેદારો,તાલુકાના હોદ્દેદારો તેમજ ગ્રામ્યકક્ષાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ આ યાત્રા સરા ચોકડી થી શરૂ કરી હળવદ બાબા આંબેડકર સાહેબના સર્કલ પાસે હાર પહેરાવી પૂર્ણાહુતિ કરી હતી.

- text

આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલિયા,આપ નેતા ઈસુદાનભાઈ ગઢવી,પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઈ લોખિલ,તેમજ પ્રદેશ સહ સંગઠન મંત્રી શિવાજીભાઈ ડાંગરના માર્ગદર્શન હેઠળ આજે મોરબી જીલ્લાના હળવદ તાલુકા ખાતે હળવદ શહેરમાં વિજય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરિયા,જિલ્લા મહામંત્રી જશવંતભાઈ કાગથરા, ભવદીપસિંહ,ચેતનભાઈ,જિલ્લા સોશિયલ મીડિયા પ્રમુખ પંકજભાઈ ,જિલ્લા મહિલા ઉપપ્રમુખ જ્યોતિબેન પરમાર સહિત મોરબી જીલ્લા ટીમના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.હળવદ તાલુકા પ્રમુખ હિતેશભાઈ,હળવદ તાલુકા મહામંત્રી વિપુલભાઈ,શંકરભાઈ,દેવરાજભાઈ,ખુમાનસિંહ,લક્ષ્મણભાઈ,રમેશભાઈ,બાબુભાઈ,સહિતના કાર્યકર્તાઓ કાર્યક્રમ ને સફળ બનાવવાની જહેમત ઉઠાવી હતી.

- text