મોરબીના સરસ્વતી શીશુમંદિરમાં “હમ કરે રાષ્ટ્ર આરાધન” કાર્યક્રમ યોજાયો

- text


અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં 467 વિદ્યાર્થીઓએ 17 કૃતિઓ પ્રસ્તુત કરી

મોરબી : સરસ્વતી શીશુમંદિરમાં અમૃત મહોત્સવ અંતર્ગત “હમ કરે રાષ્ટ્ર આરાધન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં “હમ કરે રાષ્ટ્ર આરાધન “ થીમ પર 467 વિદ્યાર્થીઓએ જુદી જુદી 17 કૃતિઓ તૈયાર કરી મંચ પર પ્રસ્તુત કરી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે 100 જેટલા વાલીઓએ બેઠક વ્યવસ્થા,સહેજ સુશોભન,સાહિત્ય વેંચાણ,અલ્પાહાર,પાર્કિંગ,પાણી તથા અતિથિ વ્યવસ્થા સંભાળી હતી.

વર્તમાનમાં સ્વાધીનતાનું 75મું વર્ષ ચાલી રહ્યું છે.ત્યારે પૂરા દેશમાં “સ્વાધીનતાનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે.ત્યારે રાષ્ટ્રભક્તિના રંગે રંગાયેલા મોરબીનું શિશુમંદિરમાં ગત તા.26ને શનિવારે રાત્રે 8:30 થી 11:30 દરમ્યાન શનાળાની પટેલ સમાજ વાડીમાં “હમ કરે રાષ્ટ્ર આરાધન “ થીમ પર 467 વિદ્યાર્થીઓએ જુદી જુદી 17 કૃતિઓ તૈયાર કરી મંચ પર પ્રસ્તુત કરી હતી.આમાં નાટક,અભિનય,ગીતો,ગરબા,બાલશહીદી પર એક પત્રિય અભિનય સાહસિક જેવા અલગ અલગ કાર્યક્રમોના માધ્યમથી ઉપસ્થિત જનમેદનીને મંત્રમુગ્ધ કરી દીધી હતી.

“ખુદ્બ લડી મરદાની વો તો ઝાસિવાલી રાની થી”,”હો જાઓ તૈયાર સાથીઓ”,”કર કર ખમ ખમ”, નવ ચૈતન્ય હિલોરે લેતા “ તથા “હમ કરે રાષ્ટ્ર આરાધન” જેવા અભિનય ગીતોએ સમગ્ર વાતાવરણને રાષ્ટ્ર ભક્તિમય બનાવ્યું હતું.રઘુનાથ પાંડુરંગ,શંભુ નારાયણ,ઉરી પુલવામા,વિરભૂમિ જેવા નાટકોએ શહીદોની યાદને તાજી કરાવી હતી.બાળશહીદોના એક પાત્રિય અભિનયે વિદ્યાર્થીઓ તથા વાલીઓમાં પરાક્રમ અને સાહસનો સંચાર કર્યો હતો.આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે વિદ્યાભારતી પૂર્વ કચ્છના અધ્યક્ષ ડો.કેશુભાઈ મોરસનીયાએ સ્વતંત્ર ભારતનો ઇતિહાસ-ગુલામીના કાલખંડનો સંઘર્ષ તથા સ્વતંત્ર ભારત વિષે વિસ્તૃત છણાવટ કરી હતી.મોરબી જિલ્લા એસ.પી.સુબોધભાઈ ઓડેદરાએ શુભેચ્છા આપી હતી.અતિથિ વિશેષ તરીકે પધારેલા જિલ્લા શિક્ષણાધિકારી ભરતભાઇ સોલંકીએ કહ્યું કે આવા શિશુમંદિર શિક્ષણ જગત સમાજ તથા રાષ્ટ્રના ઘરેણાં સમાન છે. મોરબી જિલ્લા ભા.જ.પ. પ્રમુખ દુર્લભજીભાઈની લાગણી હતી કે આવા બાળકો જ વડાપ્રધાનના સપનાને સાકાર કરશે.

કાર્યક્રમને સફળ બનાવવા માટે 100 જેટલા વાલીઓએ બેઠક વ્યવસ્થા,સહેજ સુશોભન,સાહિત્ય વેંચાણ,અલ્પાહાર,પાર્કિંગ,પાણી તથા અતિથિ વ્યવસ્થા સંભાળી હતી.તે વિચારને મૂર્તિમંત કર્યો હતો.વિશાળ સંખ્યામાં વાલીઓ તથા સમાજના રાષ્ટ્રપ્રેમી લોકોએ કાર્યક્રમમાં હજાર રહી કાર્યક્રમને માણ્યો હતો.જુદી-જુદી શિક્ષણ સંસ્થાના કાર્યકર્તાઓએ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.પત્રકારો તથા ન્યૂઝ ચેનલોએ પણ હાજર રહી કાર્યક્રમને પૂરતું કવરેજ આપ્યું હતું.આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવકસંઘના પશ્ચિમક્ષેત્રના સંઘસંચાલક ડો.જયંતિભાઈ ભાડેસીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી.

- text

કાર્યક્રમમાં ટ્રસ્ટનાં પ્રમુખ બાબુભાઇ અઘારા,ટ્રસ્ટનાં મંત્રી જયંતિભાઈ રાજકોટિયા તથા વ્યવસ્થાપકો ડો.વિજયભાઇ ગઢીયા,દીપકભાઈ વડાલીયા,હરકિશનભાઈ અમૃતિયા,રમેશભાઈ અઘેરા,લતાબેન ગઢીયા, પરેશભાઈ મોરડીયા,મહેશભાઇ જાની ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યાલયના 7 પ્રધાનચાર્ય તથા 87 આચાર્યોએ મહેનત કરી હતી.વિદ્યાલયના વહીવટી વિભાગ સંભાડતા ચિરાગભાઈ ભોરણીયાએ લાઇટ-સાઉન્ડ-સ્ક્રીનની સુંદર વ્યવસ્થા કરી તથા કૃતિમાં વ્યવસ્થાની જ્યાં જરૂરિયાત પડી ત્યાં મદદ કરી.વિદ્યાલયના યૂટ્યૂબ પેઇજ તથા Positive Morbi News ચેનલમાં કાર્યક્રમનું સંપૂર્ણ લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.

- text