જબલપુર પ્રાથમિક શાળાએ શહીદ દિન નિમિતે મશાલ રેલી યોજી

- text


ટંકારા : દેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહી દેશને આઝાદ કરાવા પોતાના પ્રાણની આહુતિ આપનાર શહીદ ભગતસિંહ,સુખદેવ અને રાજ્યગુરૂને શ્રદ્ધાંજલિ આપવા માટે જબલપુર પ્રાથમિક શાળા દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવેલ હતું.

- text

દેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરી પોતાના પ્રાણની આહૂતિ આપનાર શહીદ ભગતસિંહ,સુખદેવ અને રાજ્યગુરૂના શહીદદિને શ્રદ્ધાંજલિ આપવા માટે જબલપુર પ્રાથમિક શાળા દ્વારા ગામમાં મશાલ રેલીનું આયોજન કરવામાં આવેલ હતું.દેશમાં થતા અન્યાય સામે બંડ પોકારી આજનો યુવાન દેશદાઝથી પોતાના પ્રાણ પણ ન્યોછાવર કરી શકે તેવી ભાવના જાગે તે માટે ફેફર દેવેન્દ્રભાઈ અને ભાલોડીયા કેતનભાઈ દ્વારા બાળકોને જાગૃત કરવામાં આવેલ હતા.આ તકે પ્રાથમિક શાળાના આચાર્ય જિતેન્દ્રભાઈ પટેલ,જશવંતભાઈ ચાવડા,એસ.એમ.સી.ના અધ્યક્ષ હરેશભાઈ ભાલોડીયા અને સભ્યઓ,નારિયાણા શાંતિલાલ અને ગ્રામજનોએ ખાસ હાજરી આપેલ હતી.

- text