મચ્છુનદીના પુલ ઉપરથી યુવાનની મોતની છલાંગ

- text


વાંકાનેરમાં પુલ ઉપરથી કૂદીને યુવાને આપઘાત કરી લીધો

વાંકાનેર : વાંકાનેરમાં મચ્છુ નદીના પુલ ઉપરથી અગમ્ય કારણોસર યુવાને મોતની છલાંગ લગાવતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર શહેરમા નવાપરા, ખડીપરામાં રહેતા સનીભાઈ વિનુભાઈ દેગામા ઉ.25 નામના યુવાને અગમ્ય કારણોસર ગઈકાલે બપોરે મચ્છુ નદીના પુલ ઉપરથી કુદકો મારી આપધાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે વાંકાનેર સિટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text