મોરબીના સંસ્કારધામ સ્વામીનારાયણ મંદિરમાં ઘનશ્યામ મહારાજના પાટોત્સવની ઉજવણી

- text


મોરબી : મોરબીમાં સંસ્કારધામ સ્વામીનારાયણ મંદિરમાં બાલ સ્વરુપ ઘનશ્યામ મહારાજના પાટોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.

- text

મોરબીમાં સંસ્કારધામ સ્વામીનારાયણ મંદિરના બાલ સ્વરુપ ઘનશ્યામ મહારાજનો 22 મો પાટોત્સવ ગત તારીખ 4-3-2022 થી 9-3-2022 સુધી ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે. જેમાં પ્રેમપ્રકાશદાસ સ્વામીના માર્ગદર્શન હેઠળ પંચદીનાત્મક કથા વાર્તાનો કાર્યક્રમ રાત્રે 9 થી 10:30 રાખેલ છે. કથાના વક્તા તરીકે શાસ્ત્રી જગતપ્રકાશદાસ સ્વામી અને પુરાણી દિવ્યપ્રકાશદાસ સ્વામી કથાનું રસપાન કરાવી રહ્યા છે. આગામી તારીખ 9-3-2022 બુધવારે સવારે ભગવાનના અભિષેક દર્શન, જપયજ્ઞ, સત્સંગ કથાવાર્તા તેમજ 1008 વાનગીઓનો અન્નકૂટોત્સવ રાખવામાં આવેલ છે. તો સર્વે હરિભક્તોને દર્શનનો લાભ લેવા યાદીમાં વિનંતી કરાઈ છે.

- text