મોરબીમાં વધુ એક ઘડિયા લગ્ન : સગાઈના મંડપમાં યુગલ લગ્નગ્રંથીથી જોડાયા

- text


મોરબી : મોરબીમાં વધુ એક ઘડિયા લગ્ન યોજાયા હતા. જેમાં યુગલ સગાઈના મંડપમાં લગ્નગ્રંથીથી જોડયા હતા.

નસીતપર નિવાસી મધુબેન તથા મનોજભાઈ ડાયાભાઇ વિરસોડીયાની પુત્રી રિદ્ધિના લગ્ન ચકમપર નિવાસી શારદાબેન તથા વિનોદભાઈ બચુભાઇ કાલરીયાના પુત્ર જયદીપ સાથે અગીયારશ ગઈકાલે તારીખ 27/2/2022ને રવિવારને અગિયારસનાના દિવસે ઘડીયા લગ્ન લેવાયા હતા. ઉલ્લેખનીય છે કે યુગલની સગાઈનો પ્રસંગ હતો અને પ્રસંગ પતાવીને નીકળતા હતા ત્યારે લગ્નનું નક્કી કરાતા સગાઈ સમાપ્ત થયા બાદ એ જ મંડપમાં ઘડિયા લગ્ન લેવાયા હતા.

- text