- text
૬ વર્ષ થી લઈને ૬૦ વર્ષ સુધીના ૫૦૦ સ્પર્ધકોએ પોતાની કલા અને પ્રતિભાના ઓજસ પાથર્યા
વાંકાનેર : રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ તેમજ કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,ગાંધીનગર દ્વારા આયોજીત તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી મોરબી સંચાલિત “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત મોરબી જિલ્લા કક્ષાના કલા મહાકુંભ અને બાળ પ્રતિભા શોધ સ્પર્ધા ૨૦૨૧-૨૨ નું આયોજન ગત તા:૯/૦૨/૨૦૨૨ થી તા:૧૦/૦૨/૨૦૨૨ ના રોજ મોહંમદી લોકશાળા-ચંદ્રપુર ખાતે જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ,પ્રાંત યુવા વિકાસ અધિકારી,નાકિયા તથા જિલ્લા રમત ગમત અધિકારી પ્રવીણાબેન પાંડાવદરાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
અતિથિ વિશેષ તરીકે વાકાંનેર પ્રાંત અધિકારી એ.એચ.શેરસીયાએ દીપ પ્રાગટ્ય કરી કલા મહાકુંભનો પ્રારંભ કરાવ્યો હતો.વાકાંનેર એ.પી.એમ.સી.ના ચેરમેન શકીલ અહેમદ પીરઝાદા મુખ્ય મહેમાન તરીકે તેમજ વાઇસ ચેરમેન અશ્વિનભાઈ મેઘાણી તથા મોહંમદી લોકશાળાના આચાર્યની એમ એ. માથાકિયાની વિશેષ ઉપસ્થિતમાં સમગ્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધામાં ૬ વર્ષ થી લઈને ૬૦ વર્ષ સુધીના આશરે ૫૦૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લઈ વિવિધ સ્પર્ધામા પોતાની આગવી કલા અને પ્રતિભાના ઓજસ પાથર્યા હતા.
- text
કાર્યક્રમને સફળ બનાવવા માટે પટોડી,સૈયદ ફરહતઅલી,તૈમુદ્દીન શેરસિયા,સોયેબઅલી,જુનેદ વડાવીયા,જેઠાલાલ તથા પ્રાથમીક શિક્ષક મંડળ વાંકાનેરના સભ્યોએ જહેમત ઉઠાવી હતી તેમજ ઉદ્દઘોષક તરીકે મોહસીન મારવીયાએ સેવા આપી હોવાનું જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસની યાદીમાં જણાવાયું છે.
- text