હરિદ્વારના ભાગીરથીધામ અને કૃષ્ણયાન દેશી ગૌશાળાના ગુરૂદેવ મહારાજની મોરબીમાં પાવન પધરામણી 

- text


 

  • મોરબી અપડેટના સુપ્રીમો દિલીપ બરાસરાના ઘરે ગુરૂદેવ મહારાજના દર્શન કરી રાજયમંત્રી બ્રિજેશ મેરજાએ આશીર્વચન મેળવ્યા

મોરબી : મોરબીમાં આજે હરિદ્વાર ભાગીરથીધામ અને ક્રુષ્ણયાન દેશી ગૌશાળાના ગુરૂદેવ મહારાજે પાવન પધરામણી કરી હતી. આ વેળાએ મંત્રી બ્રિજેશ મેરજાની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી. તેઓએ ગુરુદેવ મહારાજના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.

હરિદ્વારના ભાગીરથીધામ અને કૃષ્ણયાન દેશી ગૌશાળાના ગુરૂદેવ મહારાજ હાલ મોરબીના પ્રવાસે પધાર્યા છે. ત્યારે આજે સાંજે તેઓએ મોરબી અપડેટના સુપ્રીમો દિલીપભાઈ બરાસરાના ઘરે પાવન પગલાં પાડ્યા હતા. તેઓએ બરાસરા પરિવાર સાથે સત્સંગ કરી પ્રસાદ પણ લીધો હતો. આ વેળાએ મંત્રી બ્રિજેશભાઈ મેરજા પણ ગુરુદેવના આશીર્વચન મેળવવા ખાસ સમય કાઢીને ઉપસ્થિત રહ્યા હતા.

જેમાં બરાસરા પરિવાર સાથે મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ પણ ગુરુદેવ મહારાજના આશિર્વચનનો લાભ લીધો હતો. મંત્રી બ્રિજેશભાઈને ગુરુદેવે લોકસેવામાં સદાય અગ્રેસર રહેવાના આશીર્વાદ આપ્યા હતા. સાથે ગુરુદેવે મુક્તમને સંવાદ પણ કર્યો હતો. ગુરુદેવ સાથેની આ મુલાકાતથી બ્રિજેશભાઈએ પણ પ્રસન્નતા અનુભવી હતી.

- text

ગુરુદેવ મહારાજનું જ્ઞાનસત્ર યોજાયું

ભાગીરથીધામ અને કૃષ્ણયાન દેશી ગૌશાળા હરિદ્વારના ગુરુદેવ મહારાજ સંતો સાથે મોરબી પધાર્યા છે. ગુરુદેવ મહારાજના સત્સંગ અને જ્ઞાનસત્રનું આયોજન સાંજે 8.30 કલાકે, ગુર્જર સુથાર વિદ્યાર્થી ભવન, મહેન્દ્ર ડ્રાઈવ રોડ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ભાવિકો સાથે ગુરુદેવે સત્સંગ કરી આશિર્વચન પાઠવ્યા હતા.

- text