મોરબી ખાતે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિશ્વ કઠોળ દિવસની ઉજવણી

- text


 

મોરબી: મોરબી ખાતે આજરોજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિશ્વ કઠોળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ જુદા-જુદા કઠોળ પાકોનું ઉત્પાદન વધારી દેશને કઠોળ માટે આત્મનિર્ભર બનાવવાનો હતો.

આ કાર્યક્રમ દરમ્યાન હાજર રહેલા ખેડૂત મિત્રોને કઠોળ પાકની ઉત્પાદકતા વધારવા વિશે માહિતગાર કરાયા હતા. કેન્દ્રના વડા ડૉ. એલ.એલ.જીવાણીએ કઠોળ પાકની નવી-નવી જાતો વિશે જ્યારે પાક સંરક્ષણ વિશે કેન્દ્રના વૈજ્ઞાનિક ડી.એ .સરડવાએ માર્ગદર્શન આપ્યું હતું.

- text

આ ઉપરાંત જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ નિયામક ડો.ગાજીપરા, સહ વિસ્તરણ નિયામક ડૉ. જી. આર.ગોહિલ તેમજ નવસારી કૃષિ કોલેજના નિવૃત્ત આચાર્ય ડૉ એમ.કે.એરવાદિયાએ હાજર રહી પ્રસંગને અનુરૂપ માર્ગદર્શન આપ્યું હતું.

- text