- text
હળવદ : હળવદ તાલુકાના રાણેકપર ગામે ગતરાત્રીના એક વાછરડી પર કોઈ નરાધમ શખ્સોએ એસિડ ફેક્યુ હોવાનો બનાવ પ્રકાશમાં આવતા ગૌ પ્રેમી યુવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હળવદમાં અવારનવાર ગૌવંશ પર તિક્ષણ હથિયાર વડે હુમલા તેમજ એસિડ એટેક કરવાના બનાવો સામે આવતા હોય છે. જેથી પોલીસ તંત્ર પણ આવા શખ્સો પર યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી છે.
- text