સાંધા અને સ્નાયુના ‘વા’ના નિષ્ણાંત ડો. ધવલ તન્ના ગુરૂવારે નક્ષત્ર હોસ્પિટલમાં આપશે સેવા

- text


 

દર મહિનાના બીજા ગુરુવારે નિષ્ણાંત તબીબની ઓપીડી યોજાશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સાંધા અને સ્નાયુના ‘વા’ના નિષ્ણાંત ડો. ધવલ તન્ના આગામી ગુરૂવારે મોરબીની નક્ષત્ર હોસ્પિટલમાં ઓપીડી યોજવાના છે. જેથી દર્દીઓને હવે ઘર આંગણે જ શ્રેષ્ઠ નિદાન અને સારવાર મળશે.

સાંધા અને સ્નાયુઓના ‘વા’ના નિષ્ણાંત રૂમોલોજિસ્ટ ડો. ધવલ તન્ના શહેરની નક્ષત્ર હોસ્પિટલમાં આગામી ગુરુવારે વિઝીટિંગ ડોકટર તરીકે ઓપીડી કરવાના છે. તેઓ વા ઉપરાંત અન્ય ઓટોઇમ્યુન બીમારીના લક્ષણો જેમ કે સાંધામાં દુખાવો અથવા સોજા આવવા, સાંધા, ડોક, કમરનું સવારે જકડાઈ જવું, મોમાં વારંવાર ચાંદા પડવા, લાંબો સમય તાવ રહેવો, ચામડી પર વારંવાર ચાંદા/ચાઠા પડવા, વારંવાર આંખનું લાલ થવું, મો તથા આંખનું અતિશય સુકાવું, ઠંડીમાં આંગળીના ટેરવા સફેદ અથવા ભૂરા થવા, યુરિક એસિડની સમસ્યા વગેરેથી પીડાતા દર્દીઓનું નિદાન તથા સારવાર કરે છે.

- text

ડો.ધવલ તન્નાએ દિલ્હીની પ્રખ્યાત મેદાન્તા હોસ્પિટલમાંથી રૂમેટોલોજીની ડી.એન.બી. સુપર સ્પેશિયાલીટીની ડિગ્રી ગોલ્ડ મેડલ સાથે મેળવેલ છે. ડો. ધવલ તન્નાની સેવા દર મહિનાના બીજા ગુરુવારે સવારે 9થી 1 વાગ્યા સુધી નક્ષત્ર હોસ્પિટલમાં ઉપલબ્ધ રહેશે. વધુ વિગત માટે ફોન નં. 02822-222222 અથવા 7502062222 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

- text