અમે દુકાને બેઠા હતા ત્યારે શું કામ આવ્યો ? મોરબીમાં નવઘણને રવિ, લાલાએ માર્યો

- text


વૃંદાવન સોસાયટીના બનાવ અંગે બન્ને વિરુદ્ધ ફરિયાદ

મોરબી : મોરબીની વૃંદાવન સોસાયટીમા અમે દુકાને બેઠા હતા ત્યારે તું દુકાને કેમ આવ્યો કહી નવઘણ નામના યુવાનને રવિ અને લાલા નામના ઈસમોએ લાકડી વડે તેમજ ઢીંકા પાટુનો માર મારતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી ત્રાજપરમા અંબિકા સોસાયટીમાં રહેતા અને ડ્રાઈવિંગ કરતા નવઘણભાઇ અવચરભાઇ પાટડીયાને ત્રાજપરમા જ રહેતા રવીભાઇ અશોકભાઇ વરાણીયા અને લાલાભાઇ ગણેશીયાએ વૃંદાવન સોસાયટીમાં રોકી બપોરના અમો દુકાને બેઢા હતા ત્યારે તું શા માટે ત્યાં આવ્યો કહી લાકડી વડે તેમજ ગડદા પાટુનો માર મારતા બનાવ અંગે નવઘણભાઈએ મોરબી સીટી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને વિરુદ્ધ આઇપીસી કલમ કલમ ૩૨૩,૩૨૪,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text