ખાખરાળાના સ્વામી વિવેકાનંદ ભવાઈ મંડળના કલાકારનો જીવનદીપ બુઝાયો

- text


મોરબી : અમેરિકા, ઇંગ્લેન્ડ, ઈરાન, વેસ્ટ ઇન્ડીઝ, સુરીનામ તેમજ સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાત સહીત ભારતભરમાં ભવાઇના કામણગારા ઓજસ પાથરનાર કલાકાર સ્વ. હરિલાલ કાનજીભાઈ પૈજાનું ટુંકી માંદગીથી અવસાન થયેલ છે.

- text

ભવાઈ કલાનું અવિભાજ્ય અંગ ભૂંગળના સારામાં સારા વાદક તેમજ છેલ્લા 40 વર્ષથી સ્વામી વિવેકાનંદ ભવાઈ મંડળ-ખાખરાળા ચલાવનાર નાયકનું ટુંકી માંદગી બાદ અવસાન થયેલ છે. આથી, ભવાઈ કલાને ક્યારેય ન પૂરી શકાય તેવી ખોટ પડી છે.

- text