મોરબીમાં બાળક દ્વારા ઉત્તરાયણ નિમિત્તે પોકેટ મનીનું ગૌશાળાને અનુદાન

- text


મોરબી : મોરબીમાં સાત વર્ષના બાળક દ્વારા પોતે એકઠી કરેલી પોકેટ મનીનું ઉત્તરાયણના તહેવાર નિમિત્તે ગૌશાળાને અનુદાન કરવામાં આવ્યું છે.

- text

ઉત્તરાયણ પર્વના દિવસે દાન કરવાનું મહત્વ છે. ત્યારે મોરબી નિવાસી સાત વર્ષના આયુ જીગ્નેશભાઈ મકાસણીયા એ આખા વર્ષ દરમિયાન બચત કરી ગલ્લામાં એકઠા કરેલા રૂપિયા અંધ-અપંગ ગાયો માટે કાર્યરત ગૌશાળામાં દાન આપેલ છે. આમ, આ બાળકે આર્થિક યોગદાન આપી મકરસંક્રાંતિ પર્વની સાર્થક ઉજવણી કરી છે.

- text