મોરબીમાં આગની બે ઘટના : સરતાનપર રોડ ઉપર ટ્રક સળગ્યો

- text


લીલાપર રોડ ઉપર રાધે પાર્ટી પ્લોટનો ડેકોરેટિવ મંડપ સળગતા ફાયર ટિમ દોડી

મોરબી : મોરબીમાં આજે આગ લાગવાના બે અલગ – અલગ બનાવોમાં ફાયર બ્રિગેડ દ્વારા ત્વરિત કાર્યવાહી કરી આગ બુઝાવવામાં આવી હતી.

આજરોજ સવારના સમયે સરતાનપર રોડ ઉપર આવેલ સંસ્કાર સીરામીક ફેકટરીમાં પાર્કિંગમાં પડેલા ટ્રકમાં આગ લાગતા મોરબી ફાયરબ્રિગેડ ટીમે બે કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી.

જયારે આગ લાગવાની બીજી ઘટનામાં મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ રાધે પાર્ટી પ્લોટના ડેકોરેટિવ મંડપમાં આગ ભભૂકી ઉઠતા ફાયર ટિમો દોડી ગઈ હતી અને સતત 40 મિનિટ સુધી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text